world heritage day | વિશ્વ ધરોહર દિવસ

વિશ્વ ધરોહર દિવસ

By EditorInChief

વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ૧૮ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે આ સંધિ વર્ષ ૧૯૭૨ માં લાગુ કરવામાં આવી હતી. સંધિ હેઠળ મુખ્ય ત્રણ શ્રેણીની ધરોહરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રાકૃતિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક ધરોહર સ્થળ અને મિશ્ર ધરોહર સ્થળ.

વર્ષ ૧૯૮૨ માં, ઇકોમાર્ક નામની સંસ્થાએ ટ્યુનિશિયામાં આંતરરાષ્ટ્રીય મેમોરિયલ અને સાઇટ ડેનું આયોજન કર્યું હતું. આ સંમેલનમા એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે વિશ્વભરમાં આ પ્રકારનો દિવસ ઉજવવા માટે કંઈક આયોજન કરવું જોઈએ. ત્યારબાદ UNESCOના મહાસંમેલનની મંજૂરી બાદ ૧૮ એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે પહેલા ૧૮ એપ્રિલ વિશ્વ સ્મારક અને પુરાતત્વ સ્થળ દિવસ તરીકે ઉજવવાની પરંપરા હતી.

આખા વિશ્વમાં કુલ ૧૧૨૧ ધરોહરો આવેલી છે. જેમાં ૮૬૯ સાંસ્કૃતિક ધરોહરો, ૨૧૩ કુદરતી કે પ્રાકૃતિક ધરોહરો અને ૩૯ મિશ્ર ધરોહર છે. જેમાંથી ભારતમાં કુલ ૩૮ ધરોહર આવેલી છે, જેમાં ૩૦ સાંસ્કૃતિક ધરોહર, ૭ કુદરતી કે પ્રાકૃતિક ધરોહર અને ૧ મિશ્ર ધરોહરનો સમાવેશ થાય છે.

 ધરોહરનુ નામવિસ્તારસમયગાળો
અજંતાની ગુફાઓમહારાષ્ટ્રઈસ્વીસન પૂર્વે બીજી શતાબ્દીથી છઠ્ઠી શતાબ્દી વચ્ચે
ઈલોરાની ગુફાઓમહારાષ્ટ્રઈસ્વીસન છઠ્ઠી થી દસમી શતાબ્દી
આગ્રાનો કિલ્લોઉત્તરપ્રદેશ૧૬મી શતાબ્દી
તાજમહાલઉત્તરપ્રદેશ૧૭મી શતાબ્દી
૧૬૩૧-૧૬૪૮
સૂર્ય મંદિર, કોણાર્કઓડિશા૧૩મી શતાબ્દી
મહાબલિપુરમ ખાતે સ્મારકોનું જૂથતામિલનાડુ૭મી શતાબ્દી અને ૮મી શતાબ્દી
કાઝીરંગારાષ્ટ્રીય ઉદ્યાનઆસામ૧૯૦૮
માનસ રાષ્ટ્રીય ઉદ્યાનઆસામ૧૯૨૮
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનરાજસ્થાન૧૯૮૨
૧૦ગોઆના ચર્ચો અને કોન્વેન્ટ્સગોઆ૧૬મી શતાબ્દી અને ૧૮મી શતાબ્દી
૧૧ખજુરાહો ખાતે સ્મારકોનું જૂથમધ્યપ્રદેશઈસ્વીસન ૯૫૦ થી ઈસ્વીસન ૧૦૫૦
૧૨હમ્પી ખાતે સ્મારકોનું જૂથકર્ણાટક૧૪મી શતાબ્દી અને ૧૬મી શતાબ્દી
૧૩ફતેહપુર સિક્રીઉત્તરપ્રદેશ૧૬મી શતાબ્દી
૧૫૫૬–૧૬૦૫
૧૪પટ્ટદકલ ખાતે સ્મારકોનું જૂથકર્ણાટક૮મી શતાબ્દી
૧૫એલિફન્ટાની ગુફાઓમહારાષ્ટ્ર૫મી શતાબ્દી થી ૮મી શતાબ્દી
૧૬ચોલામંડલમતામિલનાડુ૧૧મી શતાબ્દી અને ૧૨મી શતાબ્દી
૧૭સુંદરવનપક્ષિમ બંગાળ૧૯૮૪
૧૮સાંચીનો સ્તુપમધ્યપ્રદેશઈસ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દી થી બારમી શતાબ્દી
૧૯હુમાયુનો મકબરોદિલ્હી૧૫૭૨
૨૦નંદાદેવી અને ફૂલો ખીણ રાષ્ટ્રીય ઉદ્યાનઉત્તરાખંડ૧૯૩૯
૨૧કુતુબમિનાર અને ત્યાંના સ્મારકોદિલ્હી૧૨મી શતાબ્દીના અંતમાં
૨૨ભારતની પર્વતીય રેલ્વે–દાર્જિલિંગ હિમાલયન રેલવે
–નીલગીરી પર્વતીય રેલવે
–કાલકા સિમલા રેલવે
૧૯મી શતાબ્દી થી ૨૦મી શતાબ્દી
૨૩મહાબોધિ મંદિરબિહારઈસ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દી, ૫મી શતાબ્દી અને ૬મી શતાબ્દી
૨૪ભીમ બેટકાની ગુફાઓમધ્યપ્રદેશઆજથી લગભગ ૯૦૦૦ થી ૧૦૦૦૦ વર્ષ પૂર્વ
૨૫છત્રપતિ શિવાજી ટર્મિનસમહારાષ્ટ્ર૧૮૮૭–૧૮૮૮
૨૬ચાંપાનેર – પાવાગઢ પુરાતત્ત્વીય ઉદ્યાનગુજરાત૮મી શતાબ્દી થી ૧૨મી શતાબ્દી
૨૭લાલ કિલ્લોદિલ્હી૧૬૩૯ – ૧૬૪૮
૨૮જંતર મંતર, જયપુરરાજસ્થાન૧૭૨૭ – ૧૭૩૪
૨૯પશ્ચિમ ઘાટ–સાતપુડા પર્વતમાળા
–સહ્યાદ્રી પર્વતમાળા
–નિલગિરી પર્વતમાળા
 
૩૦રાજસ્થાનના કિલ્લાઓ–ચિત્તોડગઢ
–કુંભલગઢ
–રણથંભોર
–જેસલમેર
–ગાગરોન
–આમેર
૭મી શતાબ્દી થી ૧૬મી શતાબ્દી
૩૧રાણકી વાવગુજરાત૧૧મી શતાબ્દી
૩૨ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનહિમાચલ પ્રદેશ 
૩૩નાલંદાબિહાર૫મી શતાબ્દી થી ૧૨મી શતાબ્દી
૩૪ઐતિહાસિક શહેર અમદાવાદગુજરાત૧૫મી શતાબ્દી
૩૫મુંબઈનો વિક્ટોરિયન અને આર્ટ ડેકો એન્સેમ્બલમહારાષ્ટ્ર
૧૮૬૨
૩૬જયપુરરાજસ્થાન૧૭૨૭
૩૭કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનસિક્કિમ 
૩૮લે કોર્બ્યુસિઅરના સ્થાપત્યચંદીગઢ૨૦મી શતાબ્દી
3 Comments
  1. […] નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય […]

  2. […] એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે. કલિંગ શૈલી માં […]

  3. […] તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે, જે પૂર્વ-મધ્ય કર્ણાટક, ભારત સ્થિત […]

Leave a Comment

Your email address will not be published.

You may also like